મહેંદી મર્ડર કેસ: આરોપી સચિનના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ,બાર એસો.સચિનનો કેસ નહીં લડે

શિવાંશને તરછોડવાનું અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

New Update
મહેંદી મર્ડર કેસ: આરોપી સચિનના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ,બાર એસો.સચિનનો કેસ નહીં લડે

રાજ્યભરમાં ચર્ચામાં રહેલા શિવાંશ તરછોડવાનું અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે સચિનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગાંધીનગરમાં ગુરુવાર રાત્રે પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળાના દરવાજેથી શિવાંશ નામનો 10 મહિનાનો બાળક તરછોડી દેવામાં આવ્યો હતો. પોલીસે તેને તરછોડનાર તેના પિતા સચિન દીક્ષિતની રાજસ્થાનમાંથી અટકાયત કરી હતી અને આકરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે શિવાંશની માતા અને પોતાની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી મહેંદી નામની યુવતીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે આજે આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતની કાર્યવાહી દરમિયાન પોલીસે આ કેસમાં સચિન તપાસમાં સહકાર આપતા ન હોવાની દલીલ કરી હતી અને સચિન પાસેથી વધુ વિગતો અને તબક્કાવાર ઘટના કેવી રીતે ઘટી તે તમામ તપાસ કરવાની હોવાથી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે સચિન તરફેણમાં વકીલે દલીલ કરી હતી કે સમગ્ર તપાસમાં સચિનની હાજરીની જરૂરિયાત નથી જેથી રિમાન્ડ મંજૂર કરવામાં આવે નહીં. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળી સચિનના 14 ઓક્ટોબર સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તરફ ગાંધીનગર બાર એસો દ્વારા સચિન દીક્ષિત નો કેસ ન લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.