વડોદરા : પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ નં. 1ના નગરસેવકો ધરણાં પર બેઠા

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં છેલ્લા ઘણા સમયથી પાણી સમયસર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ સાથે જ ક્યારેક ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સમય પર પાણી ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. તો બીજી તરફઘણી વખત ગંદુ પાણી વાપરી જીવન નિર્વાહ કરવું પડે છે.

તેવામાં સ્થાનિકોની માંગને વાચા આપવા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જહા દેસાઈપુષ્પા વાઘેલાહરીશ પટેલ ખુદ ધરણા પર બેસી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં આવે તો નગરસેવકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.