વડોદરા : પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ નં. 1ના નગરસેવકો ધરણાં પર બેઠા

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં વધતી પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવાની માંગ સાથે નગરસેવકોએ ખુદ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં છેલ્લા ઘણા સમયથી પાણી સમયસર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ સાથે જ ક્યારેક ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સમય પર પાણી ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. તો બીજી તરફઘણી વખત ગંદુ પાણી વાપરી જીવન નિર્વાહ કરવું પડે છે.

તેવામાં સ્થાનિકોની માંગને વાચા આપવા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જહા દેસાઈપુષ્પા વાઘેલાહરીશ પટેલ ખુદ ધરણા પર બેસી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં આવે તો નગરસેવકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories