ગુજરાતમાં એક માત્ર કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ, વાંચો ક્યાં આવેલું છે..?

New Update
ગુજરાતમાં એક માત્ર કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ, વાંચો ક્યાં આવેલું છે..?

વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત શહેરના દંતેશ્વર વિસ્તાર ખાતે ઓપન જેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન જેલમાં ખેતી કામ, ગૌશાળા, પેટ્રોલ પંપ વગેરે જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને ખાસ કરીને વર્ષ 2018 માં પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કેદીઓ કાર્યરત છે.

વડોદરા મધ્યસ્થ જેલના વેલફેર ઓફિસર મહેશભાઈ રાઠોડે જણાવ્યું કે, ગુજરાતમાં જેલ વિભાગમાં સૌ પ્રથમ પેટ્રોલ પંપ સ્થાપિત કરવામાં આવ્યો હોય તો એ વડોદરામાં છે. આ પેટ્રોલ પંપ વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા સંચાલિત છે. પેટ્રોલ પંપમાં થતા નફાને કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવે છે. આનો હેતુ બસ એક જ છે કે, જે કેદીઓ ઓપન જેલમાં કામ કરે છે કેદીઓ પુનર્વરસિત થાય અને સારામાં સારું વળતર પ્રાપ્ત કરે. આ પેટ્રોલ પંપમાં અત્યારે ત્રણ કેદીઓ કાર્યરત છે. જેમાં પેટ્રોલ પંપની સાચવણીનું કામ, હવા ભરવાનું કામ અને ઓઇલ બદલી આપવાનું કાર્ય કરી રહ્યા છે. સવારથી રાત સુધી આ પંપ ચાલુ રહે છે. જેમાં ઘણા શહેરીજનો પેટ્રોલ પુરાવા આવતા હોય છે.

આ પેટ્રોલ પંપમાં દર મહિને લગભગ રૂપિયા 2 લાખથી વધુ નફો મળે છે, જે કેદી વેલફેર ફંડમાં જમા થતો હોય છે. અહીં તમામ કેદીઓ પોતાનું કામ સમજીને ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે. અને ખાસ કેદીઓ સાથે શહેરીજનો પણ પંપ પર કાર્ય કરી રહ્યા છે તો એમની સુરક્ષા માટે એસ.આર.પી. પોઇન્ટ રાખવામાં આવ્યા છે. અને ઓપન જેલના કેદીઓ સંપૂર્ણ પણે વિશ્વાસ પાત્ર હોવાથી જ આ કામ એમને શોપવામાં આવ્યું છે.

ખાસ કરીને જે કેદીના 14 વર્ષની જેલ સજા પુરી થઈ ગઈ હોય, અને સજા દરમિયાન જે કેદીને જેલ શિક્ષા કે જેલ ગેરવર્તણૂક કરી ન હોય, એવા આદર્શ કેદીઓને ઓપન જેલ ખાતે બદલવામાં આવે છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.