વડોદરા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 11 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર

બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા

New Update

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલની ઘટના

11 જેટલી વિદ્યાર્થિનીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર

ફૂડ પોઇઝનિંગની ઘટના અંગે આરોગ્ય વિભાગ દોડતું થયું

આરોગ્ય વિભાગે નમૂના મેળવી તપાસ અર્થે લેબ મોકલ્યા

ફૂડ પોઇઝનિંગ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું

વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી 11 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઘણી વિધાર્થિનીઓ રહીં અભ્યાસ કરે છે. તેવામાં ગત શનિવારના રોજ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા.

જોકેહોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ કેપછી બહારની વસ્તુ ખાવાથી અસર થઇ તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. કારણકે માત્ર 5 વિધાર્થિનીઓએ જ બહારથી મંગાવેલા પફ ખાધા હતાજ્યારે હોસ્ટેલમાં કઢી અને ખીચડી વિધાર્થીનીઓને આપવામાં આવી હતી.

આ અસરને લઇ વિદ્યાર્થિનીઓ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતીઅને તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફવડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. આરોગ્યની ટીમે રૂબરૂ આવી રસોડાની તપાસ કરાતાં છાત્રાલયનું રસોડું ચોખુ જણાઈ આવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.