વડોદરા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 11 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર

બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા

New Update

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલની ઘટના

11 જેટલી વિદ્યાર્થિનીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર

ફૂડ પોઇઝનિંગની ઘટના અંગે આરોગ્ય વિભાગ દોડતું થયું

આરોગ્ય વિભાગે નમૂના મેળવી તપાસ અર્થે લેબ મોકલ્યા

ફૂડ પોઇઝનિંગ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું

 વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી 11 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

 વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઘણી વિધાર્થિનીઓ રહીં અભ્યાસ કરે છે. તેવામાં ગત શનિવારના રોજ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા.

જોકેહોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ કેપછી બહારની વસ્તુ ખાવાથી અસર થઇ તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. કારણકે માત્ર 5 વિધાર્થિનીઓએ જ બહારથી મંગાવેલા પફ ખાધા હતાજ્યારે હોસ્ટેલમાં કઢી અને ખીચડી વિધાર્થીનીઓને આપવામાં આવી હતી.

આ અસરને લઇ વિદ્યાર્થિનીઓ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતીઅને તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફવડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. આરોગ્યની ટીમે રૂબરૂ આવી રસોડાની તપાસ કરાતાં છાત્રાલયનું રસોડું ચોખુ જણાઈ આવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.