વડોદરા: 50માં રાજ્યકક્ષાના ફ્લાવર શોનું આયોજન, 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રદર્શન

આ ફ્લાવર શો 27 ફેબ્રુઆરી સુધી ચાલશે વડોદરા ખાતે ૫૦મો રાજ્યકક્ષાનો ફ્લાવર શો આજથી નવલખી મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.

New Update
વડોદરા: 50માં રાજ્યકક્ષાના ફ્લાવર શોનું આયોજન, 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રદર્શન

વડોદરામાં 50માં રાજ્યકક્ષાના ફ્લાવર શોનું નવલખી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર શો 27 ફેબ્રુઆરી સુધી ચાલશે વડોદરા ખાતે ૫૦મો રાજ્યકક્ષાનો ફ્લાવર શો આજથી નવલખી મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.જેનું ઉદઘાટન વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. બરોડા બાગાયત ખાતા ગુજરાત સરકાર દ્વારા સંયુકત રીતે આયોજિત આ કાર્યક્રમનો લાભ વડોદરાવાસીઓ તારીખ ૨૩ થી ૨૭ ફેબ્રુઆરી સુધી લઈ શકશે. ફૂલ ઉપરાંત આ પ્રદર્શનમાં ફળ અને શાકભાજીની સાથે બોન્સાઈનું પણ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન ક૨વામાં આવ્યું છે

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories