વડોદરા: IOCL બ્લાસ્ટ મુદ્દે મેજીસ્ટ્રીયલ ઈન્ક્વાયરીમાં કંપનીના અધિકારીઓ જ રહ્યા ગેરહાજર

IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા,વધુમાં જે અધિકારીઓ હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા.

New Update
  • વડોદરાIOCL દુર્ઘટનાનો મામલો

  • બ્લાસ્ટ અને આગમાં બે શ્રમિકોના થયા હતા મોત

  • મેજીસ્ટ્રીયલ તપાસમાં અધિકારીઓની ગેરહાજરી

  • સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહી છે ઈન્કવાયરી

  • ગ્રામજનોએ તપાસ પર ઉઠાવ્યા સવાલ

વડોદરા પાસેનીIOCL ગુજરાત રિફાઈનરીમાંસર્જાયેલી દુર્ઘટના મુદ્દે ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઈન્કવાયરી શરૂકરવામાં આવી છે,આ તપાસ દરમિયાન કંપનીના જવાબદાર અધિકરીઓજ ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા પાસેનીIOCL ગુજરાત રિફાઇનરીમાં11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા.આ મામલે ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ માટેIOCL સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવ્યા હતા.

જોકે, IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા,વધુમાંજે અધિકારીઓ હાજર રહ્યા હતાતેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા.આગામી દિવસોમાં ફરી મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવશે.

તો બીજી તરફ આ સમયે કરચીયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો.IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હાજર ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કેસમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માંગ કરી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.