/connect-gujarat/media/post_banners/1cefe75b6e0dba50b7725ef9baff6ebfb1a655ffa54b9b6415592164f61b531f.jpg)
ધંધુકાના કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની માંજલપુર વિધાનસભા કોંગ્રેસના ઉપપ્રમુખે ગજબનો કિમિયો અજમાવી આર્કષણ જમાવ્યું હતું.
વડોદરાના રસ્તાઓ પર આળોટી રહેલી આ વ્યકતિ કોઇ સંત કે મહાત્મા નથી. તે તો છે વડોદરાની માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ છે.. અને તેમણે કોઇ બાધા રાખી નથી કે તેઓ આળોટીને મંદીરે જઇ રહયાં છે. તેઓ આળોટીને મકરપુરા પોલીસ સ્ટેશન જઇ રહયાં છે અને તેમની માંગણી છે કે કિશન ભરવાડના હત્યારાઓને કડકમાં કડક સજા થાય..
ધંધુકાના કિશન ભરવાડની કટ્ટરવાદીઓએ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. ત્યારથી રાજયભરમાં કિશન ભરવાડના સમર્થનમાં વિશાળ રેલીઓ યોજાઇ રહી છે ત્યારે આ ગજબના કિમિયાથી વિનોદ શાહે આર્કષણ જમાવ્યું છે.