વડોદરા: પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરતાં નિવૃત્ત આર્મી જવાન

આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ. તેઓ વડોદરાના અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે.

New Update
VDR KHEDUT

ગુજરાત અને દેશભરમાં જ્યારે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છેત્યારે વડોદરાના અલવાના નિવૃત્ત આર્મી જવાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે રૂ. 6 લાખની કમાણી કરી રહ્યા છે. આવો જાણીએ આ પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કહાની...

આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ. તેઓ વડોદરાના અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. રવજી ચૌહાણ એક પ્રગતિશીલ ખેડૂતની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે. જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરી પ્રેરણાપુરી પાડી રહ્યા છે. ખેડૂત પોતાની 5 વીઘા જમીનમાં 3 ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે.

તેમણે 5 પ્રકારના આંબા સાથે ચીકુજામફળ અને આંતરપાક તરીકે ડાંગરધઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો રહી રહ્યા છે. સાથે જ સરકારની સહાયથી 5 હોર્સ પાવરની સોલાર પેનલ લગાવીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેનો પણ ખર્ચો બચાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીને નફો પણ રળી શકાય છેતેવુ ઉદાહરણ પુરુ પાડી ખેડૂત રવજી ચૌહાણ પંથકમાં અન્ય ખેડૂતોને પણ તાલીમ આપીને પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ-વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ બની રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.