Connect Gujarat
Featured

બાંગ્લાદેશમાં પીએમ મોદીના પ્રવાસને લઇને હિંસા ભડકી, કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો પર હુમલા

બાંગ્લાદેશમાં પીએમ મોદીના પ્રવાસને લઇને હિંસા ભડકી, કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો પર હુમલા
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થયાની સાથે જ અહીં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિંદુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ નિશાન બનાવાઈ. મીડિયા અહેવાલો પ્રમાણે, સમગ્ર બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ સાથે હિંસા શરૂ થઈ હતી. તેમાં જણાવાયું છે કે, મોદીની બાંગ્લાદેશ મુલાકાત વિરુદ્ધ ઈસ્લામિક જૂથોએ વિરોધ પ્રદર્શન થયા, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થતાં 12 લોકોના મોત થઈ ગયા.

વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના 50મા સ્વતંત્રતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા ત્યાં ગયા હતા. આ દરમિયાન શુક્રવારે રાજધાની ઢાકામાં પોલીસે વિરોધ કરતા લોકો પર અશ્રુવાયુના ગોળા અને રબર બુલેટ પણ છોડ્યા, જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ. બાદમાં શનિવારે હજારોની સંખ્યામાં લોકો ચટગાંવ અને ઢાકાના રસ્તાઓ પર દેખાવો કરવા ઉતર્યા, જ્યારે રવિવારે હિફાજત-એ-ઈસ્લામ સંગઠનના કાર્યકરોએ પૂર્વ જિલ્લા બ્રાહ્મણબરિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો. તેમણે અનેક વાહનો અને સરકારી ઓફિસોમાં પણ આગચંપી કરી, ત્યારે અનેક લોકોને ગંભીર ઈજા થઈ.

Next Story