-
તા. 21મી નવેમ્બર એટલે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ
-
દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે
-
ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનો તેજ ગતિએ થતો વિકાસ
-
ગુજરાતના માછીમારોની આવકમાં પણ નોંધપાત્ર વધારો
-
મત્સ્ય ઉદ્યોગ રોજગારી-આર્થિક વિકાસનું સબળ માધ્યમ
તા. 21મી નવેમ્બરને વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ રહ્યું છે. દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતાં ગુજરાતે છેલ્લા 2 દાયકામાં મત્સ્ય નિકાસમાં 800 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ 2001-02માં ગુજરાતમાંથી મત્સ્ય નિકાસ રૂપિયા 625 કરોડ હતી, જે વર્ષ 2023-24માં વધીને રૂપિયા 6,087 કરોડે પહોંચી છે. રાજ્ય સરકારની નીતિઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાતનો મત્સ્ય ઉદ્યોગ આજે રોજગારી અને આર્થિક વિકાસનું સબળ માધ્યમ બન્યો છે.
