ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ પર 7.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

New Update
ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ પર  7.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (16 માર્ચ) 7.1-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ 10 કિલોમીટર ઉંડાઈએ આવ્યો હતો. અમે આવા શક્તિશાળી ભૂકંપથી થયેલા નુકસાનની રાહ જોઈ રહ્યા છીએ.

અગાઉ 4 માર્ચે પણ આ જ જગ્યાએ 6.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જો કે, તે સમયે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી અને કોઈ નુકસાનની જાણ થઈ ન હતી. આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિમી નીચે હતું.

યુએસજીએસના નિવેદન અનુસાર, ગુરુવારે (16 માર્ચ) સવારે ન્યુઝીલેન્ડના ઉત્તરમાં કર્માડેક ટાપુ ક્ષેત્રમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. ભૂકંપ દરિયામાં આવ્યો હોવાથી નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે.

Read the Next Article

ફ્રાન્સમાં ભયાનક દાવાનળમાં 2000 હેક્ટર જંગલ બળીને રાખ, એરપોર્ટ-રેલવે સેવા બંધ કરાઈ

આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે.

New Update
wildfire

દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ દિન-પ્રતિદિન ઘાતક સ્વરૂપ લઈ રહી છે. આ આગ 2000 હેક્ટર સુધી ફેલાઈ ગઈ છે અને ભયાનક થઈ ચુકી છે કે, તેનો પ્રભાવ ફ્રાન્સના માટો શહેર માર્સિલે સુધી જોવા મળી રહ્યો છે. જોકે, સરકારે આગના વધતા પ્રભાવને જોતા માર્સિલે એરપોર્ટ બંધ કરાવી દીધું છે, આ સિવાય તમામ ફ્લાઇટ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. 

મળતી માહિતી મુજબ, આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે. 

નોંધનીય છે કે, વધતી આગ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે 720 ફાયર ફાઇટર અને 220થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને મશીન તૈનાત કર્યા છે. આ મામલે તંત્રનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 700 હેક્ટર જંગલ બળીને ખાક થઈ ગયું છે. પરંતુ, સ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં લાવવામાં આવી રહી છે.

આ પહેલાં તુર્કીયેના જંગલમાં પણ આગના સમાચાર સામે આવ્યા છે. તુર્કીયેના કૃષિ અને વન મંત્રી ઇબ્રાહમ યુમાકલીએ એક જુલાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં છેલ્લાં અમુક દિવસોમાં 342 જંગલમાં આગ લાગી છે. જેમાંથી અનેક આગ મનીસા, ઇજમિર, હાતાય અને અંતાક્યા જેવા વિસ્તારોમાં હજુ પણ છે. ત્યારબાદ 4 જુલાઈએ મંત્રીએ જાણકારી આપી હતી કે, 9માંથી 6 મોટી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 

નોંધનીય છે કે, ફ્રાન્સ અને તુર્કીયેમાં દાવાનળની વધતી ઘટના આબોહવા પરિવર્તન, તેજ ગરમી, શુષ્ક વાતાવરણનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો અનુસાર, તેજ ગરમ હવા, શુષ્ક હવામાન અને વધતું તાપમાન દાવાનળનું મુખ્ય કારણ બની રહ્યા છે. જોકે, સરકારો સતત સ્થિતિ પર નજર રાખે છે અને રાહત કાર્યમાં તેજી લાવી રહી છે. જોકે, આ ઘટનાઓ પર્યાવરણ અને માણસના જીવન બંને માટે ચિંતાનો વિષય છે. 

France | horrific wildfires | forest

Latest Stories