જર્મનીમાં કાર્નિવલ દરમ્યાન કારે રાહદારીઓને મારી ટક્કર,2 લોકોના મોત, 28 થી વધુ લોકો ઘાયલ

જર્મનીના મેનહેમમાં કાર્નિવલ દરમિયાન એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી. જર્મનીના બિલ્ડ અખબાર અનુસાર, આ હુમલામાં બે લોકો માર્યા ગયા અને 25 લોકો ઘાયલ થયા

New Update
garmania
સોમવારે જર્મનીના મેનહેમમાં કાર્નિવલ દરમિયાન એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી. જર્મનીના બિલ્ડ અખબાર અનુસાર, આ હુમલામાં બે લોકો માર્યા ગયા અને 25 લોકો ઘાયલ થયા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ડ્રાઇવરે આ જાણી જોઈને કર્યું હતું કે અકસ્માત ભૂલથી થયો હતો. પોલીસે આ વિસ્તારમાં લોકડાઉન લગાવી દીધું છે.
જર્મનીમાં ત્રણ મહિનામાં કાર દ્વારા લોકો પર હુમલાની આ ત્રીજી ઘટના છે. જાન્યુઆરીમાં, મ્યુનિક શહેરમાં એક અફઘાન શરણાર્થીએ લોકો પર પોતાની કાર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 28 થી વધુ લોકો ઘાયલ થયા હતા.ડિસેમ્બરમાં, મેગ્ડેબર્ગના ક્રિસમસ માર્કેટમાં એક ઝડપી કારે સેંકડો લોકોને કચડી નાખ્યા હતા. આ હુમલામાં 5 લોકો માર્યા ગયા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 7 ભારતીયો પણ હતા.
Read the Next Article

ફ્રાન્સમાં ભયાનક દાવાનળમાં 2000 હેક્ટર જંગલ બળીને રાખ, એરપોર્ટ-રેલવે સેવા બંધ કરાઈ

આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે.

New Update
wildfire

દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ દિન-પ્રતિદિન ઘાતક સ્વરૂપ લઈ રહી છે. આ આગ 2000 હેક્ટર સુધી ફેલાઈ ગઈ છે અને ભયાનક થઈ ચુકી છે કે, તેનો પ્રભાવ ફ્રાન્સના માટો શહેર માર્સિલે સુધી જોવા મળી રહ્યો છે. જોકે, સરકારે આગના વધતા પ્રભાવને જોતા માર્સિલે એરપોર્ટ બંધ કરાવી દીધું છે, આ સિવાય તમામ ફ્લાઇટ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. 

મળતી માહિતી મુજબ, આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે. 

નોંધનીય છે કે, વધતી આગ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે 720 ફાયર ફાઇટર અને 220થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને મશીન તૈનાત કર્યા છે. આ મામલે તંત્રનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 700 હેક્ટર જંગલ બળીને ખાક થઈ ગયું છે. પરંતુ, સ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં લાવવામાં આવી રહી છે.

આ પહેલાં તુર્કીયેના જંગલમાં પણ આગના સમાચાર સામે આવ્યા છે. તુર્કીયેના કૃષિ અને વન મંત્રી ઇબ્રાહમ યુમાકલીએ એક જુલાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં છેલ્લાં અમુક દિવસોમાં 342 જંગલમાં આગ લાગી છે. જેમાંથી અનેક આગ મનીસા, ઇજમિર, હાતાય અને અંતાક્યા જેવા વિસ્તારોમાં હજુ પણ છે. ત્યારબાદ 4 જુલાઈએ મંત્રીએ જાણકારી આપી હતી કે, 9માંથી 6 મોટી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 

નોંધનીય છે કે, ફ્રાન્સ અને તુર્કીયેમાં દાવાનળની વધતી ઘટના આબોહવા પરિવર્તન, તેજ ગરમી, શુષ્ક વાતાવરણનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો અનુસાર, તેજ ગરમ હવા, શુષ્ક હવામાન અને વધતું તાપમાન દાવાનળનું મુખ્ય કારણ બની રહ્યા છે. જોકે, સરકારો સતત સ્થિતિ પર નજર રાખે છે અને રાહત કાર્યમાં તેજી લાવી રહી છે. જોકે, આ ઘટનાઓ પર્યાવરણ અને માણસના જીવન બંને માટે ચિંતાનો વિષય છે. 

France | horrific wildfires | forest