/connect-gujarat/media/media_files/2025/05/01/tT4gTSRvi34pXdXXcAuq.jpg)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં ઘણા કઠિન નિર્ણયો લીધા છે. આના કારણે પાકિસ્તાનની બેચેની વધી રહી છે.
પાકિસ્તાને હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેણે ISIના વડા આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. આસીમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આસીમ મલિકને ISI ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના સમાચાર મુજબ, હવે પાકિસ્તાને આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપ્યો છે. પાકિસ્તાને આસીમ મલિકને એવા સમયે જવાબદારી સોંપી છે જ્યારે ભારત સાથે પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને તાજેતરમાં કહ્યું હતું કે તેણે એવી માહિતીની પુષ્ટી કરી છે કે ભારત 24 થી 36 કલાકમાં તેના પર હુમલો કરી શકે છે.