/connect-gujarat/media/media_files/2025/05/03/eeT2N23ldlMop6StNqDf.jpg)
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે.
આ દરમિયાન, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. X પ્રોફાઇલમાંથી તરારનો ફોટો અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયા છે.
આ પહેલા બુધવારે (30 એપ્રિલ) એક પાકિસ્તાની મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે મજબૂત ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ આતંકવાદી હુમલાના આધારે આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે જો ભારત કોઈ પગલું ભરશે તો પાકિસ્તાન પણ શાંત નહીં બેસે અને યોગ્ય જવાબ આપશે.
ભારતમાં પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે
પહેલગામ હુમલા બાદ, ભારતમાં પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની કલાકારો માહિરા ખાન, હાનિયા આમિર, સનમ સઈદ અને અલી ઝફરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને વસીમ અકરમ સહિત વર્તમાન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ બ્લોક કરવામાં આવ્યા છે.