સિરિયામાં બળવાના 4 મહિના બાદ વચગાળાની સરકારની રચના,PMનું કોઈ પદ નહીં !

સીરિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના બળવાના ચાર મહિના પછી એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાના રાષ્ટ્રપતિ અલ જુલાનીએ

New Update
hmad

સીરિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના બળવાના ચાર મહિના પછી એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાના રાષ્ટ્રપતિ અલ જુલાનીએ સરકારમાં 23 મંત્રીઓની નિમણૂક કરી છે. જુલાનીએ શનિવારે મોડી રાત્રે આ જાહેરાત કરી.મંત્રીમંડળમાં એક ખ્રિસ્તી મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુપ્તચર વિભાગના વડા અનસ ખત્તાબને દેશના નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારમાં વડાપ્રધાનનું કોઈ પદ નથી. તેમના સ્થાને, પ્રમુખ જુલાની એક સેક્રેટરી જનરલની નિમણૂક કરશે.
આ કાર્યવાહક સરકાર આગામી પાંચ વર્ષ સુધી સત્તામાં રહેશે. આ સમયગાળા દરમિયાન કાયમી બંધારણ અપનાવવામાં આવશે અને ચૂંટણીઓ યોજાશે.

Advertisment
Latest Stories