ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનાનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની કરી જાહેરાત

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનાનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈનો અંત લાવે

New Update
isharal

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનાનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈનો અંત લાવે તેવી અપેક્ષા છે. આ નિર્ણય પહેલા ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.

ઇઝરાયલની સેનાએ છેલ્લા 24 કલાકમાં લેબનીઝ રાજધાની પર અનેક હવાઈ હુમલા કર્યા જેમાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા. વડાપ્રધાન નેતન્યાહુએ યુદ્ધવિરામ પાછળ ત્રણ મુખ્ય કારણો આપ્યા. આમાં ઈરાન તરફથી વધી રહેલા ખતરા પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઈઝરાયલી સૈન્યને ફરીથી સશક્ય બનાવવી અને હમાસને વિવિધ મોરચાઓથી અલગ પાડવાનું સામેલ થાય છે.

Latest Stories