શ્રીલંકાથી ભારતમાં ઘૂસણખોરીના નવા પુરાવા બહાર આવ્યા,3 હજારથી વધુ લોકોએ કરી ઘુષણખોરી

ગુપ્તચર એજન્સીઓને શ્રીલંકાથી ભારતમાં ઘૂસણખોરીના નવા પુરાવા મળ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ માનવ તસ્કરી ગેંગના કેટલાક લોકોના ફોન કોલ્સ ઇન્ટરસેપ્ટ કર્યા

New Update
shilnka

ગુપ્તચર એજન્સીઓને શ્રીલંકાથી ભારતમાં ઘૂસણખોરીના નવા પુરાવા મળ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ માનવ તસ્કરી ગેંગના કેટલાક લોકોના ફોન કોલ્સ ઇન્ટરસેપ્ટ કર્યા છે અને ધરપકડ પણ કરી છે.રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને તમિલનાડુ ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 6 મહિનામાં 3,000થી વધુ શ્રીલંકન લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે.શ્રીલંકાના લોકોને દક્ષિણ ભારતના કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં વસાવવામાં આવી રહ્યા છે.

માનવ તસ્કરી રેકેટના મુખ્ય સૂત્રધારની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક કિસ્સાઓમાં ભારતને ડન્કી રૂટ બનાવવામાં આવ્યો છે. શ્રીલંકાના લોકોને પણ નકલી ઓળખનો ઉપયોગ કરીને કેનેડા મોકલવામાં આવી રહ્યા છે.સૂત્રો જણાવે છે કે આ માનવ તસ્કરી સિન્ડિકેટને શ્રીલંકાના ઇમરાન હજ્જિયાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં આ માનવ તસ્કરી ગેંગના નેતા મોહમ્મદ ઇબ્રાહિમની 28 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી છે.

Advertisment
Latest Stories