New Update
દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલાની ટપાલ ટિકિટ બહાર પાડી છે. લાઓસે માત્ર રામ લલાની જ નહીં પરંતુ મહાત્મા બુદ્ધની પણ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર આ માહિતી આપી છે. આ સાથે લાઓ પીડીઆર (લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક) આ અયોધ્યા સ્ટેમ્પ બહાર પાડનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
જયશંકર લાઓસની મુલાકાતે છે અને આ અંગે ટ્વીટ કરતી વખતે તેમણે કહ્યું કે, રામાયણ અને બૌદ્ધ ધર્મના આપણા સહિયારા સાંસ્કૃતિક ખજાનાની ઉજવણી માટે એક વિશેષ ટિકિટ સેટ લોન્ચ કરવામાં આવ્યો છે. જયશંકર ASEAN-ભારત મંત્રી સ્તરીય પરિષદ, પૂર્વ એશિયા સમિટના વિદેશ મંત્રીઓની બેઠક અને ASEAN પ્રાદેશિક મંચની બેઠક માટે વિયેતિયાની મુલાકાતે છે.
Latest Stories