પેરિસમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો આજથી પ્રારંભ

પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થવા જય રહ્યો છે. ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે.

New Update
પેરિસ

પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થવા જય રહ્યો છે. ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે.

આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી તેનો પ્રારંભ થશે અને તે ચાર કલાક જેટલો ચાલશે. અંદાજે ૩ લાખ પ્રેક્ષકો નજર સામે કે પછી તે વિસ્તારમાં મુકવામાં આવેલા ૮૦ જેટલા જાયન્ટ સ્ક્રીન પર ઉદ્ધાટન સમારંભ માણશે

ઉદ્ધાટન સમારંભના પ્રથમ બે કલાક સૂર્યપ્રકાશ રહેશે જ્યારે આખરી બે કલાક સૂર્યાસ્ત અને રાત્રિનો અદ્ભુત નજારો સર્જાશે. ઑલિમ્પિકની પૂર્ણાહુતિ ૧૧ ઑગસ્ટે થશે.૨૦૬ દેશના ૧૦,૫૦૦ ખેલાડીઓ ૩૨ રમતોના ૩૨૯ ઇવેન્ટસમાં મેડલ જીતવાનો જંગ ખેલશે.

ફ્રાંસના પ્રમુખ મેક્રો સહિત ૮૦ દેશના વડા કે તેમના પ્રતિનિધિ ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપશે. લંડને ૧૯૦૮, ૧૯૪૦ અને ૨૦૧૨માં ઑલિમ્પિક યોજી હતી.

પેરિસે ૧૯૦૦ અને ૧૯૨૪ એમ બેવખત ઑલિમ્પિકનું આ અગાઉ આયોજન કર્યું હતું. આમ લંડન પછી પેરિસ બીજું એવું શહેર બનશે કે જેમાં ત્રણ વખત ઑલિમ્પિક યોજાઈ હોય. પેરિસને આ ઑલિમ્પિક યોજવા માટે ૯ અબજ ડોલરનો ખર્ચ થશે.

Read the Next Article

પાકિસ્તાની સેના અચાનક કયું ઓપરેશન ચલાવી રહી છે? ૫૫ હજાર લોકો ઘર છોડ્યા, ૨૭ વિસ્તારોમાં ૭૨ કલાકનો કર્ફ્યુ

પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે.

New Update
0215

પાકિસ્તાનના બાજૌર જિલ્લામાં ટીટીપી વિરુદ્ધ ઓપરેશન સરબકાફ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન મુખ્યત્વે લોઈ મામુન્ડ અને વાર મામુન્ડ તાલુકાઓમાં ચાલી રહ્યું છે, જે અગાઉ ટીટીપીનો ગઢ માનવામાં આવતા હતા.

પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે. આ ઓપરેશન મુખ્યત્વે લોઈ મામુન્ડ અને વાર મામુન્ડ તાલુકાઓમાં ચાલી રહ્યું છે, જે અગાઉ ટીટીપીનો ગઢ માનવામાં આવતા હતા.

તાજેતરમાં, તાલિબાન કમાન્ડરો સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ, ૨૭ વિસ્તારોમાં ૧૨ થી ૭૨ કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરિણામે, લગભગ ૫૫,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે અને ૪ લાખથી વધુ લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે.

ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં આવામી નેશનલ પાર્ટીના ધારાસભ્ય નિસાર બાજે આરોપ લગાવ્યો હતો કે કર્ફ્યુના કારણે લોકો સલામત સ્થળોએ જઈ શકતા નથી અને સેના પોતાના નાગરિકો પર અત્યાચાર કરી રહી છે. ઘણા પરિવારોને તંબુઓ, ખુલ્લા મેદાનો અને જાહેર ઇમારતોમાં રાત વિતાવવાની ફરજ પડી છે. પરિવહનના સાધનો અને ખોરાક અને પાણીની અછતને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.

અધિકારીઓનું કહેવું છે કે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર મુબારક ખાન ઝૈબના જણાવ્યા અનુસાર, શાળાઓને કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે ખાર તહસીલમાં 107 શૈક્ષણિક સંસ્થાઓને રાહત શિબિર તરીકે ચિહ્નિત કરી છે. જોકે, જમીની અહેવાલો અનુસાર, રાહત સામગ્રી અને આશ્રય માટેની વ્યવસ્થા પૂરતી નથી.

કાર્યવાહી 29 જુલાઈએ શરૂ થઈ હતી, પરંતુ આદિવાસી જિર્ગાની મધ્યસ્થીથી બીજા દિવસે અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી હતી. અનેક રાઉન્ડની વાતચીત છતાં, 2 ઓગસ્ટે વાતચીત નિષ્ફળ ગઈ, ત્યારબાદ સેનાએ કાર્યવાહી ફરી શરૂ કરી.

બાજૌર જિલ્લો લાંબા સમયથી ટીટીપીનો ગઢ રહ્યો છે. પાકિસ્તાન સેનાએ ભૂતકાળમાં અહીં ઘણી કાર્યવાહી કરી છે, જેમાં હજારો લોકો વિસ્થાપિત થયા હતા. આ ઓપરેશનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો પણ છે, પરંતુ સેના તરફથી ત્રાસ અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

Latest Stories