અભિનેત્રી શ્રીદેવીનું દુબઇ ખાતે કાર્ડિઆક એરેસ્ટથી નિધન 

New Update
અભિનેત્રી શ્રીદેવીનું દુબઇ ખાતે કાર્ડિઆક એરેસ્ટથી નિધન 

વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીનું દુબઇ ખાતે કાર્ડિઆક એરેસ્ટથી નિધન થયું છે. સદગત અભિનેત્રી 54 વર્ષના હતાં. તેઓ દુબઇમાં પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર સાથે એક ફેમિલી લગ્નમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાં હાર્ટ એટેકથી તેમની તબિયત અચાનક બગડી હતી અને મોત થયું હતું. શ્રીદેવીના આકસ્મિક મોતથી બોલિવુડમાં દુખની લાગણી છવાઈ ગઈ છે.

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ, 1963માં તામિલનાડુમાં થયો હતો. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત માત્ર ચાર વર્ષની ઉંમરે કરી હતી. તેમણે બાળકલાકાર તરીકે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. હિન્દી ફિલ્મ જૂલીમાં પણ તેમણે બાળકલાકારનો રોલ કર્યો હતો.

1969માં ફિલ્મ સોલહવાં સાલ દ્વારા તેમણે હિન્દી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. 80નું દશક તેમના નામે ઓળખાય છે. આ વર્ષોમાં તેમણે હિમ્મતવાલા, તોહફા, મિ. ઇન્ડિયા, મવાલી, જસ્ટીસ ચૌધરી જેવી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતાં.

Latest Stories