New Update
અમદાવાદના નવા વાડજમાં આવેલી ઝુંપડપટ્ટી પાસે આગ લાગી હતી. ભીમજીપુરા પાસે આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં આગ આજુબાજુ ફેલાઇ હતી. આગને બુઝાવવા ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગને પગલે લોકોમાં ભારે દોડધામ મચી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
દિવાળીના તહેવારમાં ફૂટતા ફટાકડાના લીધે આ આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે ફટાકડાના રોકેટના લીધે આ ભીષણ આગ લાગી હતી. જો કે કોઇ જાનહાનિની માહતી સામે આવી નથી.
Latest Stories