બોલીવૂડમાં હાલ રમત ગમત પર આધારિત ફિલ્મો બની રહી છે. 'મેરી કોમ', મિલ્ખા સિંહ, ધોની, અને મોહમદ અઝહરુદ્દીન બાદ હવે મહાન ક્રિકેટર કપીલ દેવના જીવન પર પણ ફિલ્મ બને તેવી ચર્ચા થઇ રહી છે.
દિગ્દર્શક કબીર ખાને ભારતીય ક્રિકેટર ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, કપીલ દેવના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાલ બોલીવૂડમાં એવી ચર્ચા થઇ રહી છે કે મહાન ક્રિકેટર કપીલ દેવનું પાત્ર રણવીર સિંહ ભજવશે.
જો કે થોડા સમય પહેલા કપીલ દેવની ભૂમિકા ભજવવા માટે અર્જુન કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ હવે રણવીર સિંહનું નામ આગળ આવ્યુ છે.