New Update
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પત્રકાર પરિષદને સંબોધીને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા,અને જણાવ્યુ હતુ કે પહેલા એમ હતુ કે કોંગ્રેસ કા હાથ ભ્રષ્ટાચાર કે સાથ પરંતુ હવે લોકો કહેશે કે કોંગ્રેસ કા હાથ આતંકવાદ કે સાથ.
મુખ્તાર અબ્બાસ નકવીએ રાજ્યસભાનાં સાંસદ અને કોંગ્રેસનાં દિગજ્જ નેતા અહમદ પટેલ પર પણ આક્ષેપો કર્યા હતા.સરદાર પટેલ હોસ્પિટલમાં આતંકી ફરજ બજાવવા બદલ આક્ષેપ કર્યા હતા.
વધુમાં નકવીએ અમે રાજનીતિ નહીં, પરંતુ રાષ્ટ્રનીતિ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ. કોંગ્રેસ આતંકીઓને સંરક્ષણ આપવાના મામલા માં જવાબ આપે. અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જવાબ આપે તેમ તેઓએ જણાવ્યુ હતુ.
Latest Stories