જંબુસરમાં રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાનું કરાયુ સ્વાગત

New Update
જંબુસરમાં રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાનું કરાયુ સ્વાગત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે,અને રાજકીયપક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે.કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં નવસર્જન યાત્રા યોજવામાં આવી રહી છે.જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તારીખ 1લી નવેમ્બરનાં રોજ જંબુસર થી ભરૂચ જિલ્લાનાં પ્રવાસની શરૂઆત કરી છે.

રાહુલ ગાંધીની યાત્રા જંબુસર પહોંચતા કાર્યકર્તાઓ દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાજ્ય સભાનાં સાંસદ અહમદ પટેલ,પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત,પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પરમાર,શક્તિસિંહ ગોહિલ, અલ્પેશ ઠાકોર સહિતનાં નેતાઓ પણ જોડાયા છે.

Latest Stories