/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/15183328/maxresdefault-181.jpg)
જામનગર શહેરમાં નગર પાલિકાના
સમયે શહેરીજનોને સિટી બસ સેવા મળતી હતી, તે હવે મહાનગર પાલિકા
બન્યા પછી સિટી બસ સેવા છીનવાઈ ગઈ છે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે
આશીર્વાદરૂપ સિટી બસ સેવા આજે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી જે બસ રૂટ ઉપર પર દોડી રહી છે। આમ છતાં મહાનગર
પાલિકાના જાગૃત અધિકારીઓ દ્વારા શહેરમાં સિટી બસ સ્ટેશનો બનાવી લાખો રૂપિયાનું આંધણ કરી રહ્યા
છે.
જામનગરના ધારાસભ્ય અને
સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી સિટી બસ સ્ટેશનો નવા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બસ સ્ટેન્ડ જ્યાં
બનાવેલ છે ત્યાં એક પણ સિટી બસ આ રૂટો પર સેવા આપતી નથી. એટલે કે જ્યાં સિટી બસ જે
રોડ ઉપર ચાલતી નથી, તેવા સ્થળોએ
સિટી બસ સ્ટેન્ડ ખડકી દેવાયા છે. એટલું જ નહીં મહાનગર પાલિકા દ્વારા લાખો રૂપિયાથી
અનેક જગ્યાએ ભૂતકાળમાં સિટી બસ સ્ટેન્ડ બનાવેલ હતા, જે હાલ જર્જરિત
હાલતમાં પડ્યા છે અને તેની મરામતનું કામ પણ કરવા માટે કોઈ આયોજન નથી, કે શું તેવા સવાલ ઉઠી રહ્યાં છે.
જામનગરમાં જૂના અને
જર્જરિત હાલતમાં પડેલા બસ સ્ટેન્ડ ખંડેર તેમજ પાર્કિંગનું સ્થળ બની ગયું છે. બસ સ્ટેન્ડના છત અને પીલર નબળા પડી ગયા
છે અને તેમાં તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે. જામનગરના ડેપ્યુટી
મેયરે આ અંગે જણાવ્યુ હતું કે, જામનગરમાં
પહેલા 30થી 35 સિટી બસ અલગ અલગ રુટ પર
ચાલતી હતી, અને અત્યારે હાલ
ફક્ત 10 જ બસ ચાલે છે.
લોકો પોતાની સુવિધા પ્રમાણે પ્રાઈવેટ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે.
જ્યારે આ અંગે ધારાસભ્ય
રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ કે, સિટી બસ જેએમસી
દ્વારા સંચાલિત છે અને તેને ધારાસભ્યની કોઈ ગ્રાન્ટની જરૂર પડશે
અથવા સિટિ બસ સ્ટોપને મરામત કરવાની અને નવા બનાવવાની ફરજ પડશે તો હું
મહાનગર પાલિકા અને સરકારમાં રજૂઆત કરીશ.