જેમાં પુરૂષો ધારણ કરે છે સ્ત્રી વેશ, ઘેરૈયા નૃત્યને ટકાવી રાખવા સંઘર્ષ

New Update
જેમાં પુરૂષો ધારણ કરે છે સ્ત્રી વેશ, ઘેરૈયા નૃત્યને ટકાવી રાખવા સંઘર્ષ

આદિવાસી સમાજ તેમની સંસ્કૃતિ બચાવી રાખવા સંઘર્ષ

કરી રહયો છે ત્યારે આદિવાસી સમાજના પરંપરાગત નૃત્યને જીવંત રાખવા નવસારી જિલ્લાના

બીલીમોરા ખાતે આવેલાં 

સોમનાથ મહાદેવ મંદિરે ૨5 વર્ષોથી લાભ પાંચમના દિવસે હરિફાઈ યોજવામા આવે છે.

દક્ષિણ ગુજરાતના ઢોડિયા અને હળપતિ સમાજનુ

પારંપારિક ઘેરૈયા નૃત્યએ  લોકનૃત્ય ગણાય છે. પાંરપારિક સમુહ નૃત્યમાં પુરુષો

સ્ત્રીનો વેશ ધારણ કરી નૃત્ય કરે છે અને નવરાત્રી,  દિવાળી

તેમજ શુભ પ્રસંગે ગામે ગામ ફરીને માતાની આરાધના કરે છે. સમાજની સુખ શાંતિ માટે

માતાની કૃપા મેળવે છે. ધેરૈયાની ટુકડીના મુખ્ય માણસ  નાયક્ને

“કવિયો” કહેવામાં

આવે છે. કવિયાઓ ગીત ગાય છે અને બીજા ધેરૈયાઓ તેને ઝીલે છે. ઘૈરેયાનો પંરપરાગત

પોશાક સાડી, ડબલ

ફાળનુ ધોતિયુ, ચોળી, ઝાંઝર, કેડે

ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માંથે ફેટો, એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોર પીછી, પગમાં

મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવ-શક્તિ સ્વરુપ ધારણ કરે છે.

ધેરૈયાની અનેક લોકવાયકા છે કે જેના સમયમાં

ઘણીયામાની દીકરી જે ગામે પરણેલી હોય, તે ગામ સુધી ઘેર લઇને જતા હતા. સામાન્ય રીતે એવી

માન્યતા છે કે ઘૈરેયા મંડળીઓ જે ઘરે જાય તેનું કલ્યાણ થાય છે. છેલ્લા કેટલાક સમયથી

બદલાયેલી રહેણી કહેણી અને જીવન પધ્ધતિના કારણે "ઘેરૈયા  નૃત્ય"

ભુલાઈ રહ્યુ છે. આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે બીલીમોરા સોમનાથ મહાદેવ

મંદિર ટ્રસ્ટ તરફથી છેલ્લા ૨૫ વર્ષથી લાભ પાંચમના દિવસે સ્પર્ધા યોજવામાં આવે છે.

જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ઘેરૈય્યા ગૃપો ભાગ લે છે. ચાલુ વર્ષે આ

સ્પર્ધામાં ૧૭ જેટલા ઘેરૈયાઓની ઘેરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા

હતા.  

Latest Stories