દેડીયાપાડા : એક શાળા કે જયાં ભુખ્યા આવતા બાળકો માટે કરાઇ છે અલાયદી વ્યવસ્થા

New Update
દેડીયાપાડા : એક શાળા કે જયાં ભુખ્યા આવતા બાળકો માટે કરાઇ છે અલાયદી વ્યવસ્થા

આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલી એ.એન. બારોટ વિદ્યાલયમાં સ્થાનિક ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. શાળામાં હાલ 1,400 કરતાં વધારે વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવવા માટે વહેલી સવારે તેમના ઘરેથી નીકળી જતાં હોય છે.

ગરીબ હોવાથી તેઓ નાસ્તો કર્યા સિવાય જ શાળાએ આવે છે. શાળામાં ભૂખ્યા પેટે આવતા વિદ્યાર્થીઓમાં પહેલાં ચક્કર અને તાવ સહિતની ફરીયાદો રહેતી હોય છે. આ ઉપરાંત બાળકો બહાર મળતો બિન આરોગ્યપ્રદ ખોરાક ખાઇ પેટનો ખાડો પુરતાં હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે શાળા દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

શાળાના શિક્ષકોએ ભેગા મળી યથા યોગ્ય ફાળો એકત્ર કરીને શાળામાં વિદ્યાર્થીઓને ગરમા ગરમ ખીચડી આપવાનું નક્કી કરવામાં આવ્યુ. શિક્ષકો દ્વારા શરૂ કરાયેલ આ સેવાકાર્યને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે..વિદ્યાર્થીઓને માત્ર 5 રૂમાં ખીચડી, બટાકા પૌઆ, સેવ ઉસળ સહિતનું ભોજનમાં આપવામાં આવે છે. જેનો લાભ શાળા ના 250 થી 300 વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે. શિક્ષક નિલેશભાઈ વસાવા જણાવે છે કે છેલ્લા 2 મહિનાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં શાળાના આચાર્ય યોગેશભાઈ ભાલાની સહીતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહયાં છે. વિદ્યાર્થીઓને રાહતદરથી ભોજન મળી રહયું હોવાથી તેમનું સ્વાસ્થય પણ સારૂ રહે છે અને અભ્યાસ પર સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories