/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/10165456/GOonlRLQ.jpg)
મુસ્લિમ વિસ્તારો મસ્જીદો રોશની થી શણગારવામાં આવ્યાં હતાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતાં મુસ્લીમ બિરાદરો દ્રારા ઈસ્લામ
ધર્મના સ્થાપક હઝરત મંહમ્બદ પયગમ્બર સાહેબના જન્મ દિનની ઈદે મિલાદ પર્વ નિમિત્તે
મસ્જીદો તથા મુસ્લિમ વિસ્તારોમાં રોશની થી શણગારવામાં આવ્યાં હતાં અને મુસ્લિમ
બિરાદરો અને ઝુલુસ કમીટી દ્વારા પ્રાંતિજના મુસ્લિમ વિસ્તારો સહિત બજારમાં જુલુસ
કાઢવામાં આવ્યું હતું. જેમાં અલ્લાહને દુઆઓ કરી પૂર્ણા હૂતિ કરવામાં આવી હતી .
પ્રાંતિજમાં બે દિવસ પહેલાં થી જ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જીદો ઉપર
રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર-ઠેર પાણી ની પરબ તથા દુધ ની વ્યવસ્થા
કરવામાં આવી હતી. તો ઈદે મિલાદ પર્વ નિમિત્તે બારકોડ, પઠાવાડા વગેરે વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરો તથા ઝુલુસ કમીટી દ્વારા
પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં એક્તા શાંન્તી
અને ભાઇચારો બની રહે તે માટે મુસ્લીમ બિરાદરો દ્વારા અલ્લાહને દુઆઓ કરવામાં આવી
હતી અને શાંતિ- શિસ્ત રીતે પ્રાંતિજના વિવિધ માર્ગો ઉપરથી શાંતિ પૂર્વક જુલુસ
પ્રસાર થયું હતું. જયારે જુલુસના માર્ગો ઉપર ધર્મપ્રેમી લોકો દ્વારા દુધ કોલ્ડીંગ, આઇસ્ક્રીમ, ઠંડા
પીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ પીઆઇ ડી.એમ.ચંપાવત દ્વારા
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બદોબદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો
હતો.