ભરૂચ : રાધાકૃષ્ણ સોસાયટીમાં બત્તીસી સિંહાસન પર બિરાજમાન છે ફાઇબરના ગણેશજી

New Update
ભરૂચ : રાધાકૃષ્ણ સોસાયટીમાં બત્તીસી સિંહાસન પર બિરાજમાન છે ફાઇબરના ગણેશજી

સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓનો ઉપયોગ ઘટાડવા પર ભાર મુકાઇ રહયો છે ત્યારે ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા ફાઇબરની બનેલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. 27 ફૂટની ગણેશજીની પ્રતિમાને બત્તીસી સિંહાસન પર બિરાજમાન કરાઇ છે.

ભરૂચ શહેરના રાધાકૃષ્ણ યુવક મંડળ તરફથી આ વર્ષે ગણેશ મહોત્સવમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓના કારણે જળાશયો દુષિત થાય છે અને પર્યાવરણને પણ નુકશાન પહોંચે છે. બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પણ ઘટી ગયા હોવાથી ગણેશ પ્રતિમાઓના વિસર્જનમાં વિધ્ન ઉભું થતું હતું. આ બધાની વચ્ચે રાધાકૃષ્ણ ગણેશ યુવક મંડળે ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરી છે. 27 ફૂટ ઉંચી સુર્વણ જડિત પ્રતિમાને બત્તીસી સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. રાજા વિક્રમાદિત્ય ન્યાય કરવા માટે બત્તીસી સિંહાસનનો ઉપયોગ કરતાં હતાં તેની થીમ ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાઇ છે.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.