ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે,ત્યારે રાષ્ટ્રીય નેતાઓ પણ રાજ્યના પ્રવાસે આવીને ચૂંટણી પ્રચારને વેગ આપી રહ્યા છે.ત્યારે આગામી તારીખ 8મી નવેમ્બરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભરૂચમાં આવશે.
ભરૂચ પ્રવાસ દરમિયાન અમિત શાહ ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ભાજપનાં પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે સંગઠન તેમજ આગામી ચૂંટણીની રણનીતિ સંદર્ભે જરૂરી ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ભરૂચ ખાતે ચાલી રહેલ પટેલ અને દરબારો વચ્ચેનો વિવાદ ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ભરૂચ મુલાકાત બાદ ભરૂચ જિલ્લા , શહેરની પાર્ટીનાં દિશા નિર્દેશ મળશે અને પટેલ તેમજ દરબારો વચ્ચેની ખેંચતાણનો અંત આવશે તેમ જાણવા મળ્યુ છે.