જંબુસરમાં કોંગ્રેસની નવસર્જન યાત્રા દરમિયાન સાંસદ અહમદ પટેલે ભાજપને આડે હાથ લીધુ હતુ.અને ભાજપ માત્ર છેતરવાનું કામ કરશે તેમ તેઓએ જણાવ્યું હતુ.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી,રાજ્ય સભાનાં સાંસદ અહમદ પટેલ,પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત,પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,અલ્પેશ ઠાકોર નવસર્જન યાત્રા લઈને જંબુસર પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદ અહમદ પટેલે સભાને સંબોધન કરીને જણાવ્યુ હતુ કે ભાજપ માત્ર છેતરવાનું કામ કરશે.ISISનાં આતંકીનું સરદાર પટેલ હોસ્પિટલ કનેક્શન અંગે શાયરાનાં અંદાજમાં સીએમ વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
વધુમાં અહમદ પટેલે જણવ્યુ હતુ કે સુરતની કેર હોસ્પિટલમાં આતંકવાદી કાસમ કામ કરતો હતો જેનું ઉદ્દઘાટન નરેન્દ્ર મોદીએ 2008માં કર્યું હતુ.ભાજપ ભાગલા પાડવાની રાજનીતિ રમે છે.અને નોટબંધીનાં એક વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા તારીખ 8મી નવેમ્બરને બ્લેક ડે તરીકે ઉજવવાની જાહેરાત પણ તેઓએ કરી હતી.