ભાવનગર : રોપેક્ષ સર્વિસથી સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે વેપાર વધશે, જુઓ શું કહી રહયાં છે આગેવાનો અને સ્થાનિકો

New Update
ભાવનગર :  રોપેક્ષ સર્વિસથી સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે વેપાર વધશે, જુઓ શું કહી રહયાં છે આગેવાનો અને સ્થાનિકો

સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી દિવાળી ની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસનો વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું.જે 370 કિલ્લોમીટર ની રોડ માર્ગ ની જગ્યાએ માત્ર 90 કિલ્લોમીટરની મુસાફરીથી પૂર્ણ થશે

ઘોઘા હજીરા રોપેક્ષ સેવા નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજીરા થી ઇ-વર્ચ્યુઅલ લોકાર્પણ કરી રો-પેક્સ ને પ્રસ્થાન કરાવ્યું, જેને લઈને ભાવનગરના ઘોઘા ખાતે સ્વાગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણમણત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે, સંસદ સભ્ય ભારતીબેન શિયાળ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે,અત્રે ઉલ્લેખનીય છેકે  ઘોઘા રૉરો ફેરી નું અત્યાર સુધીમાં લોકાર્પણ અને ખાતર્મુહતના 3 વખત કાર્યક્રમો યોજાઈ ચુક્યા છે આ ફેરી ને નડી રહી છે ડ્રેજિંગ ની સમસ્યા જેને કારણે ઘોઘા દહેજ ફેરી બન્ધ કરી હવે ઘોઘા હજીરા શરૂ કરવામાં આવી રહી છે.

રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવર જવર સસ્તી અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.

Latest Stories
    Read the Next Article

    રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

    હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

    New Update
    yellq

    હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

    હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

    રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

    ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.

    Latest Stories