માધુરી દિક્ષીત અને અનિલ કપૂરની જોડી ફરી રૃપેરી પડદે જોવા મળે તેવી શક્યતા

New Update
માધુરી દિક્ષીત અને અનિલ કપૂરની જોડી ફરી રૃપેરી પડદે જોવા મળે તેવી શક્યતા

માધુરી દિક્ષીત બોલીવૂડમાં પોતાની અદાકારી , સુંદરતા અને સ્માઇલને લીધે લોકપ્રિય છે. જોકે અભિનેત્રીએ નેને સાથે લગ્ન કર્યા બાદ અમેરિકા જવાનો નિર્ણય કરીને કારકિર્દીને તિલાંજલી આપી દીધી હતી. પરંતુ ફિલ્મ જગતની ઝાકઝમાટની દુનિયાનું આકર્ષણ અભિનેત્રીને ફરી ભારત ખેંચી લાવ્યુ.

જોકે તે પહેલા જેવી કારકિર્દી બનાવવામાં સફળ થઇ શકી નથી. સૂત્રની વાત સાચી માનીએ તો ઇન્દ્ર કુમારે પોતાની ધમાલ ફિલ્મની ત્રીજી સીરીઝ માટે માધુરી દિક્ષીતનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા છે. આ ફિલ્મ 'ટોટલ ધમાલ શિર્ષક સાથે હેઠળ પ્રસારિત થશે. જેમાં અજય દેવગણ, રિતેશ દેશમુખ અને અર્શદ વારસી કામ કરતા જોવા મળશે.

જો ઇન્દ્ર કુમાર માધુરીને ફરી અનિલ કપૂર સાથે લાવવામાં સફળ થશે તો લાંબા સમય બાદ આ જોડી ફરી રૃપેરી પડદે જોવા મળશે. માધુરી દિક્ષીત અને અનિલ કપૂરે ભૂતકાળમાં ઇન્દ્ર કુમાર સાથે બેટા, દિલ અને રાજા જેવી ફિલ્મો કરી છે. હવે ઇન્દ્ર કુમાર ફરી પોતાની ફિલ્મમાં આ જોડીને લેવાની તજવીજ કરી રહ્યો છે.આ જોડીએ તેજાબ ફિલ્મમાં રૃપેરી પડદે તરખાટ મચાવ્યો હતો.

Latest Stories