/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/15173425/maxresdefault-175.jpg)
રાજકોટ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ 20 હજાર મગફળીની ગુણી પલડી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
રાજકોટ જિલ્લામાં સતત વરસેલા વરસાદના કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળીનો જથ્થો પલળી ગયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વહોરવાનો વારો આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક તરફથી મુખ્યપ્રધાન રાજકોટ શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જરૂરી શેડ બનાવતી નથી. જેના કારણે તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખુલ્લામાં પડેલ ખેડૂતોની મગફળી પલડી જતા પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.