New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/07142434/maxresdefault-71.jpg)
જેતપુર ચારણસમઢીયાળા ગામે આજ રોજ સ્વ વિઠ્ઠલભાઈ
રાદડિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં
વિઠ્ઠલભાઇના પુત્ર અને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા ઉપર પૈસાનો વરસાદ વરસ્યો હતો.
રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલાં ચારણસમઢીયાળા ગામે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમા અનાવરણ વિધિ સમારોહ તેમજ લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઠ્ઠલભાના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા પર પૈસા નો વરસાદ થયો હતો. તેમણે ઢોલ પર બેસી ડાયરાની મોજ માણી હતી. ડાયરામાં કલાકાર કીર્તિદાન ગઢવી , માયાભાઈ આહીર, ફરીદાબેન મીર સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના રાજકીય આગેવાનો પણ ડાયરામાં હાજર રહયાં હતાં.
Latest Stories