New Update
અંકલેશ્વર ખાતે જી.આઇ.ડી.સી.માં આવેલ ગોકુલધામ સોસાયટીના ધાબા ઉપરથી એક યુવાને છલાંગ લગાવતા તેનું ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત નીપજ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
અચાનક ધબાકો થતા સોસાયટીના રહીશોના ટોળા વળ્યા હતા. પરંતુ કોઇ સારવાર આપવા લઈ જવાની તજવીજ થાય તે પહેલાજ યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે મરનાર યુવાનની ઓળખ માટે તલાશી લેતાં તેમને તેનું ડ્રાઇવીંગ લાઇસન્સ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ ભાર્ગવ કિરીટભાઇ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ આધારે આ યુવાન ક્યાં નો હતો? શા માટે આત્મહત્યા કરી વિગેરે કારણો તપાસવા સાથે તેના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories