અંકલેશ્વર: નોબલ માર્કેટમાં ખુલ્લી જગ્યામાં કચરો સળગાવાતા ધૂમાડાના પગલે સ્થાનિકો ત્રાહિમામ

New Update
અંકલેશ્વર: નોબલ માર્કેટમાં ખુલ્લી જગ્યામાં કચરો સળગાવાતા ધૂમાડાના પગલે સ્થાનિકો ત્રાહિમામ

અંકલેશ્વરમાં નોબલ માર્કેટમાં ખુલ્લી જગ્યામાં કોઈ બેજવાબદાર ભંગારીયા દ્વારા કચરો સળગાવવામાં આવી રહયો હતો. દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની જ્વાળાઓ વધી જતાં આગના ધુમાડાના પગલે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

publive-image

આગ જ્યાં લાગી હતી ત્યાં બાજુમાં ભંગારનું અને કોયલા નું ગોડાઉન પણ છે.આ આગની જવાળા વધી જતાં કલાકો સુધી આગ ચાલુ રહી હતી.આગની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને પણ કરવામાં નથી આવી નોબલ માર્કેટમાં, લખાની માર્કેટ, સુપર માર્કેટ, આદર્શ માર્કેટ, અંસર માર્કેટમાં તથા આજુ-બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરરોજ બેજવાબદાર ભંગારીયા દ્વારા રાત્રી દરમિયાન કચરો સળગાવવામાં આવી રહયો છે. આ અંગે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું. આ આગ કોણે લગાવી અને કઈ કંપનીનો માલ હતો તેનું કારણ કબંધ છે.

Latest Stories