New Update
![અંકલેશ્વર-રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/vlcsnap-3072-06-05-17h43m20s617.png)
અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિત વાસ પાસે આવેલ ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનો નકુચો તોડી ઘરમાં મુકેલ ચીજ વસ્તુઓ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.
પરંતુ તેમના સંબંધી હિતેન્દ્ર શ્રી ચૌહાણ દ્વારા જાણવા મળ્યું હતું કે ઘરના માલિક હાલ ચોટીલા થી પરત ઘરે આવી રહ્યા છે. જેથી તેઓના આવ્યા બાદ જ શું શું વસ્તુ ઘરમાંથી ગયું છે તે જાણી શકાશે. પરંતુ હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.
Latest Stories