/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/dog01.jpg)
તમે જમીનદારો વિશે તો સાંભળ્યુ જ હશે. પણ આજે અમે તમારો મેળાપ કરાવીએ છીએ ગુજરાતના મહેસાણા જીલ્લાના પંચોત ગામના કૂતરાઓ સાથે. આ કૂતરા જમીનના પહેરેદાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમીનની પહેરેદારીથી આ કૂતરાની વર્ષોથી કરોડોની કમાણી થઈ રહી છે. છેલ્લા એક દસકામાં રાઘનપુરની તરફ મેહસાણા બાયપાસના નિર્માણને કારણે જમીનની કિમંતો ઝડપથી વધી રહી છે અને તેનાથી સૌથી વધુ લાભ ગામના કૂતરાને થઈ રહ્યો છે.
ગામના અનૌપચારિક ટ્રસ્ટ (જેણે મધની પતિ કુતારિયા ટ્રસ્ટના રૂપમાં ઓળખાય છે)ની પાસે જમીનનો 21 એકર ભાગ છે. તેથી જમીન વાસ્તવિક રૂપે કૂતરાઓનેનામ નથી. પણ જમીનમાંથી સંપૂર્ણ આવક ખેતી માટે વાર્ષિક લીલામીને અલગ રૂપે કૂતરાઓ માટે રાખવામાં આવે છે. બાયપાસની પાસે આ જમીનની વર્તમાનમાં કિંમત લગભગ સરેરાશ ૩.૫ કરોડ પ્રતિ વીંધા છે.
ક્યારેય પોતાના ભાગને ફરી મેળવવા પરત આવી શકે છે. આ જમીનને જાનવરો અને સમાજ સેવા માટે દાન કરવામાં આવી હતી. પટેલોની આંટીએ પણ બે વીંઘા જમીન દાન કરી હતી.દરેક વર્ષે ટ્રસ્ટના ભૂમિ બેંકના દરેક ભૂખંડની બોવણીની ઋતુ પહેલા લીલામી કરવામાં આવે છે. ઉચ્ચ બોલી લગાવનારને એક વર્ષ માટે ખેતી કરવાનો અધિકાર મળે છે. દશરથ પટેલ એ પરિવારના વંશમાંથી એક છે જેમણે આ પોતાની ૧૫. વીંઘા જમીન દાન કરી હતી. તેમણે કહ્યુ કે ગામ ગર્વ કરે છે કે અમે જાનવરોની સેવા માટે આટલી મજબૂત વ્યવસ્થા બનાવી છે.
દશરથ પટેલે કહ્યુ આનુ એક કારણ વસ્તીનો ધાર્મિક સ્વભાવ પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દશરત વર્તમન સરપંચ કાંતાબેનના પતિ છે. તેમણે જણાવ્યુ કે ૬ હજારની વસ્તીવાળા ગામમાં લગભગ ૧૫ મંદિર છે. તેમણે જણાવ્યુ કે જાનવરોની દેખરેખની સંસ્કૃતિને એક પેઢીથી બીજા સુધી લઈ જવામાં આવે છે. મને યાદ છે કે લગભગ ૬૦ વર્ષ પહેલા કૂતરા માટે શીરો બનાવવાની સામુદાયિક પહેલમાં હુ પણ સામેલ થયો હતો. એ સમયે લગભગ ૧૫ લોકોએ પૈસા લીધા વગર કૂતરાને ખાવા માટે રોટલા બનાવવાની જવાબદારી લીધી હતી. અહી સુધી કે ઘંટીના માલિકે પણ એક પણ પૈસો લીધો નહોતો.
- ૨૦૧૫ માં રોટલા ઘરનુ નિર્માણ થયુ
વર્ષ ૨૦૧૫ માં ટ્રસ્ટે વિશેષ ઈમારતનુ નિર્માણ કર્યુ જેનુ નામ રોટલા ઘર રાખવામાં આવ્યુ. જ્યા બે મહિલાઓ દ્વારા રોટલા બનાવવામાં આવે છે. તેઓ દરરોજ ૨૦થી ૩૦ કિલો લોટમાંથી લગભગ ૮૦ રોટલા બનાવે છે. જ્યારપછી સ્વયં સેવક રોટલા અને ફ્લેટબ્રેડને લારી પર લોડ કરે છે અને લગભગ ૭.૩૦ વાગ્યે તેનુ વિતરણ કરવામાં આવે છે. ૩૫ વર્ષીય સ્વયંસેવક ગોવિંદ પટેલ મુજબ, રોટલાના વિતરણ માટે ૧૧ સ્થાન પર જવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે. જ્યારે રખડુ કૂતરાઓની સંખ્યા સૌથી વધુ છે.
- મહિનામાં બે વાર ખવડાવે છે લાડૂ
ગોવિંદ પટેલે જણાવ્યુ કે ગામમાં રહેનારા કૂતરાને સ્થાનીક લોકો ભોજન આપે છે. લારી પર લદાયેલ ખાવાનુ ખેતર પાસે અને બહારી વિસ્તારમાં રહેનારા કૂતરાને આપવામાં આવે છે. મહિનામા બે વાર અમે લાડૂ પણ ખવડાવીએ છીએ. તેમનુ કહેવુ છે કે મનુષ્યો અને જાનવરોની સેવા કરવી પરમેશ્વરની સેવા કરવાની એક યુક્તિ છે.
ઉલ્લેખનીય છે કે ધર્માર્થ પરંપરાના નામે શરૂ થયેલ આ ટ્રસ્ટ ફક્ત કૂતરાની સેવા સુધી સીમિત નથી. ટ્રસ્ટના સ્વયં સેવક બધા પક્ષીઓ અને જાનવરોની સેવા કરે છે. આ ટ્રસ્ટને વાર્ષિક પક્ષીઓ માટે ૫૦૦ કિલોગ્રામ અનાજ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને હોળીના અવસર પર. ગામના એબોલા ટ્રસ્ટ (જેને શિવગંગા પશુ હેલ્પલાઈનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે) માં ગાય માટે એરકંડીશંડ યુક્ત વોર્ડ પણ બનાવ્યા છે. અહી પક્ષીઓ વાંદરાઓ અને અન્ય જાનવરો માટે વિવિધ કક્ષ બન્યા છે.
અબોલાનો અર્થ થાય છે જે બોલી શકતા નથી. ટ્રસ્ટના એક પૂર્વ પ્રશાસક ડાહ્યાભાઈ પટેલે કહ્યુ કે ગુજરાતના અનેક ગામમાં પક્ષીઓ માટે ચબૂતરા અને પશુઓના આશ્રય માટે પાંજરાપોળ બનાવવાનો ગૌરવાશાળી ઈતિહાસ રહ્યો છે. પંચોત એક આદર્શ ગામ બનીને આગળ આવ્યુ છે. જેણે પશુ કલ્યાણનુ કામ પોતાના પર લીધુ છે. અમને આશા છે કે આવનારી પેઢીઓ આ પરંપરાને યથાવત રાખશે.
સૌજન્ય: હિતેશ જશાણી