દાહોદ : ભગવાનને છાણથી લીપવાની અનોખી પરંપરા, મેઘરાજાને રીઝવવા મહિલાઓ પ્રથાને સહારે

દાહોદ જીલ્લામાં છેલ્લા ૨૧ દિવસથી મેઘરાજાએ જાણે રીસામણા લીધા છે. વરસાદ નહીં વરસતા અહીંની પરિસ્થિતી અત્યંત દયનીય બની હતી. અહી ખેતી તેમજ પીવા માટેના પાણીની ભારે તંગી સર્જાઈ હતી, ત્યારે દાહોદ જિલ્લાના લોકોને છેલ્લા ૯૦ વર્ષોથી ચાલી આવેલ પરંપરાનો સહારો લેવાની જરૂર પડી હતી.
દાહોદ જીલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરા પ્રામાણે ભગવાનને ગાય તેમજ ભેંસના છાણનું લીપણ ચડાવવામાં આવે છે. આ એક અનોખી પરંપરા છે તેના મુજબ જ્યારે ચોમાસામાં વરસાદ પાછો ખેચાય ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ ભગવાન હનુમાનજીની પ્રતિમા ઉપર છાણ લીપતી હોય છે. ભગવાનને છાણથી લીપણ કર્યા બાદ પરંપરા મુજબ મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરી રસ્તે આવતા જતાં લોકો સામે ધાડ પાડી લૂંટ ચલાવતી હોય છે. આ લૂંટ દરમ્યાન આવેલ રોકડ રકમને જનકલ્યાણ અર્થે વાપરવામાં આવે છે. અહી બીજા દિવસે મહિલાઓ દ્વારા ફરી ભેગા મળીને ભગવાન ઉપર લગાવેલ છાણના લીપણને સ્વચ્છ પાણીથી સાફ કરી પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે. આ પ્રકારની માન્યતા પ્રમાણે વરસાદ ના વરસવાથી માત્રત્રણથી ચાર દિવસમાં જ મેઘરાજા અહી મન મૂકીને વરસે છે.
મેઘરાજાને રીઝવવા લોકો પુજા-પાઠ કરી ભગવાનની પુજા-અર્ચના અને યજ્ઞ કરતા હોય છે, ત્યારે આદિવાસીઓની આ અનોખી પરંપરા મુજબ વરસાદ આવે છે કે કેમ તે જોતાં જ બીજા દિવસે દાહોદ જીલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાની સાથે જ દાહોદ જિલ્લાના સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
પાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMTઅંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ...
28 Jun 2022 11:05 AM GMT