![માલપુર-લુણાવાડા રોડ ઉપર ડમ્પરે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્રીનું કરૂણ મોત](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/e199c020-b9cc-46d0-9843-b711ecdca4a1.jpeg)
અરવલ્લી જિલ્લાના માલપુર-લુણાવાડા રોડ પર નવા રક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પિતા-પુત્રીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજતા માલપુર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
માલપુર તાલુકાના પીપરાણા ગામના મણીભાઈ સાયબાભાઈ તરાર તેમની ૧૧ વર્ષીય પુત્રી કિરણબેન સાથે બાઈક પર કામકાજ અર્થે માલપુર-લુણાવાડા માર્ગ નવા રક્ષેશ્વર મહાદેવ નજીક થી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરઝડપે હંકારી આવી રહેલા આઈવા ડમ્પર (ગાડી.નં -GJ 9 AU 9956 ) ના ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો.
જેમાં બાઈક સવાર પિતા-પુત્રી રોડ પર પટકાતા બંન્નેવના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર અર્થે દવાખાને ખસેડાતા પિતા-પુત્રીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે દોડી આવેલી માલપુર પોલીસે પિતા-પુત્રીના મૃતદેહને પી.એમ. માટે રવાના કરી.માલપુર પોલીસે કીર્તિભાઇ હરિભાઈ તરારની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર હાઈવાના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પીપરાણા ગામમાં તરાર પરિવારના પિતા-પુત્રીનું અકસ્માતમાં મોત નિપજતા આખા માલપુર પંથકમાં ગમગીની છવાઈ હતી.