New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/11/parliament-opposition-759.jpg)
સમગ્ર દેશમાં જૂની 500 અને 1000 ની ચલણી નોટબંધીના સરકારના નિર્ણય સામે સોમવારે સંસદ ભવનમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદના બંને ગૃહોમાં આ બાબતને લઈને ધાંધલ-ધમાલ જોવા મળી હતી.
કોંગ્રેસ, માર્ક્સવાદી પાર્ટી , ડીએમકે , રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતાઓએ સંસદની બહાર વિરોધ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિરોધની આગેવાની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી.આ અગાઉ વિરોધ પક્ષોએ સંસદ ઘરમાં એક બેઠક યોજીને આ મુદ્દે તેમની વ્યૂહરચના ઘડી હતી.
નોટબંધીના કારણે દેશમાં અંધાધૂંધી સર્જાઈ છે ત્યારે સંસદના બંને ગૃહોમાં 16 નવેમ્બરથી શિયાળુ સત્રની શરૂઆત થવા છતાં આ મુદ્દાને લઈને વારંવાર સુનાવણી મોકૂફ કરવાની ફરજ પડી હતી.
Latest Stories