Connect Gujarat
ગુજરાત

સાપુતારા: નોટિફાઇડ  કચેરી દ્વારા નર્મદા મૈયાના વધામણાનો કાર્યક્રમ યોજાયો

સાપુતારા: નોટિફાઇડ  કચેરી દ્વારા નર્મદા મૈયાના વધામણાનો કાર્યક્રમ યોજાયો
X

રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે નોટિફાઇડ કચેરી દ્વારા નર્મદા મૈયા ના વધામણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાપુતારા સ્થિત સર્પગંગા તળાવને કિનારે સવારે 9 : ૩૦ ના કલાકે નમામિ દેવી નર્મદે મહોત્સવનો કાર્યક્રમ હંસાબેન પટેલના અધ્યક્ષ સ્થાને તથા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર માહલા સાહેબ ગાવિત સાહેબ હોટેલ એસોસિયેશનના સેક્રેટરી તુકારામ માર્ગ અને મકાન ના હિરેનભાઈ તથા હોટલ એસોસિયેશનના સભ્યો સહિત માલેગાંવ ગોટીયામાળ સામગહાંન સરપંચો તથા ઋતંભરા શાળાની બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાપુતારાના જન સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

નર્મદા મૈયા ના વધામણાં ઉત્સવમાં ગુજરાતી ફિલ્મના નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત સૂર મળી પ્રસ્તુતિ કરી હતી કાર્યક્રમ અંતે આરતી કરી સમાપ્ત કરવામાં આવ્યો હતો.

Next Story