ગાંધીનગર : રાજ્યમાં નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં 74 બોગસ ડોકટરો ઝડપાયા

New Update
ગાંધીનગર : રાજ્યમાં નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં 74 બોગસ ડોકટરો ઝડપાયા

રાજ્યમાં બોગસ ડૉક્ટર્સ પણ પોતાના નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની વાત આરોગ્ય વિભાગને સામે આવી હતી. જેમાં આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં અત્યાર સુધીમાં કુલ 74 બોગસ સમગ્ર રાજ્યમાંથી ઝડપાયા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણનું એપ્રિલ મહિનામાં બેફામ રીતે વધારો થયો હતો, ત્યારે બિલાડીના ટોપની જેમ બોગસ ડોક્ટર પણ પોતાના નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની વાત આરોગ્ય વિભાગ સામે આવી હતી. કોરોના કાળ દરમિયાન રાજ્યમાં કુલ 74 ડૉક્ટર કે જેઓ ડૉક્ટર જ ન હતા તેવા બોગસ ડૉક્ટર વિરુદ્ધ પોલીસે પણ કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ કરતા હોય અને બોગસ ડિગ્રી ધરાવતા તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આમ 1 એપ્રીલથી 4 જૂન સુધીમાં ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં 74 બોગસ ડૉક્ટર સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોગસ ડૉક્ટર બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, “ડૉક્ટરે જે પ્રકારની ડિગ્રી લીધી હોય તે જ રીતે દર્દીઓની સારવાર કરી શકે છે, પરંતુ અમુક બોગસ ડોક્ટર નજરે આવ્યા છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આરોગ્ય વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. આમ આવનારા દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને બોગસ ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.”

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
Latest Stories