અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ભૂલકાઓએ સામાન્ય જ્ઞાન પર અભિનય ગીત રજૂ કર્યા
સંસ્કારદીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કાર દીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ સામાન્ય જ્ઞાન પર વિવિધ ગીતો અભિનય દ્વારા રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં દીપ્તિ મેડમ, રૂપા મેડમ, તથા વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
