અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.



ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન અપાતા હર્ષ અને ઉમંગની લાગણી સમગ્ર ભરૂચ જિલ્લા અને શહેરના વાલ્મિકી સમાજના લોકો અનુભવી રહ્યા છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ અને સમાજના સભ્યો દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી દર્શના વાઘેલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સફાઈ કામદાર સેલના કિરણ સોલંકી સહિતના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
