New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/17144850/maxresdefault-109.jpg)
અમદાવાદમાં કોરોનાના કારણે સ્થિતિ બદતર બની છે પણ કલેકટર સંદિપ સાગલેએ લોકોને ડર રાખ્યાં વિના પોતાની તથા પોતાના પરિવારની કાળજી રાખવા માટે અપીલ કરી છે.
અમદાવાદના કલેકટર સંદીપ સાંગલેએ કનેકટ ગુજરાત સાથે કરેલી ખાસ વાતચીતમાં તંત્ર જે કામગીરી કરી રહયું છે તેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદશહેરમાં પૂરતા પ્રમાણમાં બેડ ઉપલબ્ધ છે તથા દર્દીઓની સારવાર માટે અનેક હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે જાહેર કરી દેવામાં આવી છે. વેન્ટીલેટર, ઓકિસજન અને ઇન્જેકશનની અછત ન ઉભી થાય તે માટે પુરતાં પગલાં ભરવામાં આવી રહયાં છે. તંત્ર શકય તમામ પગલાં ભરી રહયું છે ત્યારે લોકો પણ કામ વગર પોતાના ઘરોની બહાર ન નીકળે તે જરૂરી છે.