અમદાવાદ : મોઢવાડિયાનો સીઆર પાટિલ પર મોટો આક્ષેપ, બુટલેગરોને કરતાં હતા મદદ!

New Update
અમદાવાદ : મોઢવાડિયાનો સીઆર પાટિલ પર મોટો આક્ષેપ, બુટલેગરોને કરતાં હતા મદદ!

રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમાં હવે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પાર ગંભીર આરોપ લગાવી રહયા છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને બત્રીસ લક્ષણા ગણાવી આકરા પ્રહારો કર્યા તો સામે ભાજપે સીઆર પાટીલને સવાયા ગુજરાતી અને નખશીખ ગુજરાતી ગણાવ્યા

ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ  1978માં પોલીસ ખાતામાં હતા ત્યારે દારૂના જથ્થા અને બુટલેગરોની મદદ કરવાના કારણે સસ્પેન્ડ થયા હતા એવો આક્ષેપ કર્યો છે. મોઢવડિયાએ પાટીલને બત્રીસ લક્ષણા ગણાવીને એવો પણ આક્ષેપ કર્યો કે, પાટીલ સામે 1978માં દારૂના કેસ નોંધાયા હતા અને સોનગઢ અને પલસાણા પોલીસ સ્ટેશનમાં ઓન રેકોર્ડ દારૂના ગુના નોંધાયા છે. 1984માં પોલીસ યુનિયન બનાવવા બદલ ફરિયાદ થઇ હતી . 1995ના ઓક્ટોબરમાં સુરત કોર્પોરેશનને ઓક્ટ્રોઈ મુદ્દે ફરિયાદ થઇ હતી અને 2002માં ડાયમંડ જ્યુબિલી બેંક કૌભાંડમાં જેલવાસ પણ ભોગવ્યો છે.


અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આ બધા કેસ રેકોર્ડ પર છે પણ રાજીનામું આપવાની સંસ્કૃતિ ભાજપમાં છે જ નહી. સી.આર. પાટીલે પોતે જ પોતાના ઉપર નોંધાયેલા ગુનાનું લિસ્ટ પાર્ટીમાં આવ્યું છે. આ કેસમા ચુકાદો આપવાનું કામ કોર્ટનું છે પણ સી આર પાટિલ પર અનેક કેસ છે એ હકીકત છે. મોઢવડિયાએ કહ્યું કે,  સી આર પાટિલ સામે કુલ 107 કેસ નોધાયા છે.ગુજરાતમાં ભાઈનું નહિ પણ ભાઉનું ચાલે છે જે લાયકાત કોઈ પાર્ટી પ્રમુખમાં નથી તે બધી લાયકાત ભાજપા પ્રદેશ પ્રમુખમાં છે.


વીઓ_03 તો સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું અમોને શિખામણ આપવાની જરૂર નથી અમારા પ્રદેશ પ્રમુખ એક નાના કાર્યકારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. દેશમાં સૌથી વધારે મતોથી વિજય બન્યા છે અમને સલાહ આપનાર ક્યારેય નગરપાલિકાની ચૂંટણી નથી જીતી શક્યા અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સવાયા અને નખશીખ ગુજરાતી છે આમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે શાબ્દિક આરોપ ચરમસીમાએ પહોંચ્યા છે.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.

Latest Stories