/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/21155613/maxresdefault-58.jpg)
રાજયમાં વધેલાં કોરોનાના કેસ બાદ આપવામાં આવેલાં મીની લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. સરકારે આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનોને સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ખોલવાની છુટ આપતાં વેપારીઓ અને ગ્રાહકો બંને ખુશ જોવા મળી રહયાં છે....
રાજ્યમાં કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 40 દિવસથી દુકાનો બંધ હાલતમાં છે. માત્ર આવશ્યક સેવાઓની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી હતી. મીની લોકડાઉનના કારણે વેપારીઓ તથા લોકોની હાલત કફોડી બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવ ખાતે મીની લોકડાઉનમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. રાજયમાં તમામ દુકાનોને સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી ખોલવાની છુટ આપવામાં આવી છે. અમારા સંવાદદાતા મયુર મેવાડાએ અમદાવાદના નાગરિકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આવો જોઇએ અમદાવાદીઓ શું કહી રહયાં છે.