અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 165માં ઇન્કમટેક્સ દિવસની ઉજવણી કરાય

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2024-25માં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા-સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ તેમને પ્રસંશા કરી

New Update

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 165માં ઇન્કમટેક્સ દિવસની ઉજવણી

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન

આયકર વિભાગના કર્મયોગીઓ વિકાસના વિશ્વકર્મા : મુખ્યમંત્રી

ડિજિટલ સેવાઓથી આયકર સુવિધામાં પારદર્શિતા : ભુપેન્દ્ર પટેલ

વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટની મુખ્યમંત્રીએ કરી ખૂબ પ્રસંશા

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 165માં ઇન્કમટેક્સ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇન્કમટેક્સ દિવસ” નિમિત્તે આયકર વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ  દેશ અને રાજ્યની વિકાસગાથામાં કરવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આયકર વિભાગના કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કરદાતાઓની મૂડીનો જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ ડિજિટલ સેવાઓથી આયકર સુવિધામાં આવેલી પારદર્શિતા અને પ્રામાણિકતા વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય બજેટ 2024-25માં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા-સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ તેમને પ્રસંશા પણ કરી હતી.

Latest Stories